પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

સુવાક્યો

:~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.

:~> મારુ જીવન એજ મારો સંદેશ છે.

:~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.

:~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.

:~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.

:~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.

:~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.

:~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
:~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.

:~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.

:~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.

:~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.

:~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.

:~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.

:~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.

:~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.

:~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.

:~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.

:~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.

:~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.

:~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.

:~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.

:~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.

:~> દરેક બાળક એક કલાકાર છે.

:~> વિચાર કરતાં જ્ઞાન સારુ.

:~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,

:~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.

:~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.

:~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.

:~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.

:~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,

:~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.

:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.

:~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.

:~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.

:~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.

:~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.

:~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.

:~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.

:~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.

:~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.

:~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.

:~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.

:~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.

:~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.

:~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.

:~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.

:~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.

:~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.

:~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

:~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.

:~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

:~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.

:~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.

:~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.

:~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.

:~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.

:~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.

:~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.

:~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.

:~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

:~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

:~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.

:~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.

:~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.

:~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.

:~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.

:~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.

:~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.

:~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

:~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.

:~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.

:~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.

:~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.

:~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.

:~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.

:~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.

:~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.

:~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.

:~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.

:~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.

:~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું.

:~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.

:~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.

:~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.

:~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.

:~> આજના વિચારો આવતી કાલે બોલો.

:~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.

:~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

:~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.

:~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.

:~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.

:~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.

:~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

:~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.

:~> બાળકો પ્રભુના પયગંબરો છે.

:~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.

:~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.

:~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.

:~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.

:~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.

:~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

:~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.

:~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.

:~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.

:~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.

:~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.

:~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.

:~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.

:~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.

:~> સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.

:~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.

:~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.

:~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.

:~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.

:~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.

:~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.

:~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.

:~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.

:~> સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો.

:~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.

:~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.

:~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.

:~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.

:~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

:~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.

:~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

:~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.

:~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.

:~> ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.

:~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.

:~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.

:~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.

:~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.

:~> વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.

:~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

:~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

:~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.

:~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.

:~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.

:~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.

:~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.

:~> સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.

:~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

:~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.

:~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.

:~> ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.

:~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.

:~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.

:~> સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.

:~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.

:~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.

:~> જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.

:~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

ટિપ્પણીઓ નથી: